વડા પ્રધાન પીએમ મોદીએ રેડિયો પર તેમની ૪૭મી મન કી બાતમાં કહ્યું હતું કે, કેરળ જ્યારે પૂરસંકટમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આખો દેશ તેની પડખે ઊભો છે. કેરળને તમામ પ્રકારની સહાય કરવામાં આવશે અને કેરળવાસીઓની મુશ્કેલીઓ દૂર કરાશે. આખા દેશનાં તમામ લોકો કેરળને તમામ પ્રકારની મદદ કરવા તત્પર છે તેમ તેમણે કહ્યું હતું. મોદીએ પૂરમાં લોકોના જીવ બચાવનાર કેન્દ્રીય ટુકડીઓની પ્રશંસા કરી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ રૂ. ૫૦૦ કરોડની સહાય જાહેર કર્યા પછી શુક્રવારે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હેઠળ રૂ. ૫૪૩ કરોડની સહાય જાહેર કરાઈ હતી.
વડા પ્રધાન પીએમ મોદીએ રેડિયો પર તેમની ૪૭મી મન કી બાતમાં કહ્યું હતું કે, કેરળ જ્યારે પૂરસંકટમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે આખો દેશ તેની પડખે ઊભો છે. કેરળને તમામ પ્રકારની સહાય કરવામાં આવશે અને કેરળવાસીઓની મુશ્કેલીઓ દૂર કરાશે. આખા દેશનાં તમામ લોકો કેરળને તમામ પ્રકારની મદદ કરવા તત્પર છે તેમ તેમણે કહ્યું હતું. મોદીએ પૂરમાં લોકોના જીવ બચાવનાર કેન્દ્રીય ટુકડીઓની પ્રશંસા કરી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ રૂ. ૫૦૦ કરોડની સહાય જાહેર કર્યા પછી શુક્રવારે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ હેઠળ રૂ. ૫૪૩ કરોડની સહાય જાહેર કરાઈ હતી.