બુધવારે મુંબઈમાં બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીનાં અંતિમસંસ્કાર બુધવારે તેમના ઘરથી નજીક આવેલ વિલેપાર્લે પવનહંસ સ્મશાનઘાટ ખાતે કરવામાં આવશે. બુધવારે સવારે 9.30 થી 12.30 વાગ્યા સુધી શ્રીદેવીનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે મુકાશે. તેમની અંતિમયાત્રા બપોરે 2 વાગે શરૂ થશે અને અંદાજે સાડા ત્રણ વાગ્યા સુધી સ્માશાનઘાટ પહોંચશે.