લક્ષદ્વીપમાં કાળો કેર વર્તાવી અરબી સમુદ્રમાં પહોંચેલો ચક્રવાત ૫મીની સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે પ્રતિકલાક ૯૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપ સાથે સુરત જિલ્લામાં લેન્ડફોલ કરવાની શક્યતા છે. સુરત જિલ્લામાં લેન્ડિંગ સાથે જ વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં પરિણમવાની અને તેની તીવ્રતામાં ઘટાડો થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. છતાં પવનની ઝડપ પ્રતિકલાક ૫૦થી ૭૦ કિલોમીટરની રહેવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે એલર્ટ જારી કરતાં માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દરિયામાં ઊંચા મોજાં ઊછળવા સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવાની સંભાવના છે.
લક્ષદ્વીપમાં કાળો કેર વર્તાવી અરબી સમુદ્રમાં પહોંચેલો ચક્રવાત ૫મીની સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે પ્રતિકલાક ૯૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપ સાથે સુરત જિલ્લામાં લેન્ડફોલ કરવાની શક્યતા છે. સુરત જિલ્લામાં લેન્ડિંગ સાથે જ વાવાઝોડું નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં પરિણમવાની અને તેની તીવ્રતામાં ઘટાડો થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. છતાં પવનની ઝડપ પ્રતિકલાક ૫૦થી ૭૦ કિલોમીટરની રહેવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે સોમવારે એલર્ટ જારી કરતાં માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દરિયામાં ઊંચા મોજાં ઊછળવા સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાવાની સંભાવના છે.