-
25 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર મહા સંમેલન અમદાવાદના જે મેદાનમાં યોજાયું અને જેમાં ધાંધલધમાલના પગલે તોફાનો ફાટી નિકળ્યા તે જીએમડીસી મેદાનમાં હવે વિશ્વ હિન્દુ પરિષદમાંથી હાંકી કઢાયેલા નેતા ડો. પ્રવિણ તોગડિયા 17 એપ્રિલથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં અચોક્કસ મુદતના અનશન શરૂ કરશે. અગાઉ સાબરમતી આશ્રમ નજીક બત્રીસી ભવનમાં અનશન યોજાવાના હતા પણ તોગડિયાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનશનનું સ્થળ ખુલ્લા મેદાનમાં લઇ જવાયું છે ત્યારે ચર્ચા એ છે કે જીએમડીસીના મેદાન કરતાં બત્રીસી ભવનમાં તેમની સુરક્ષા વધુ સારી રીતે થઇ શકી હોત. આ જ જીએમડીસી મેદાનમાં હાર્દિક પટેલની વિરાટ જાહેરસભા યોજાઇ હતી અને પછી કાયદો અને વ્યવસ્થાના પગલે ભારે વિવાદ સર્જાયો હતો.
-
25 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર મહા સંમેલન અમદાવાદના જે મેદાનમાં યોજાયું અને જેમાં ધાંધલધમાલના પગલે તોફાનો ફાટી નિકળ્યા તે જીએમડીસી મેદાનમાં હવે વિશ્વ હિન્દુ પરિષદમાંથી હાંકી કઢાયેલા નેતા ડો. પ્રવિણ તોગડિયા 17 એપ્રિલથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં અચોક્કસ મુદતના અનશન શરૂ કરશે. અગાઉ સાબરમતી આશ્રમ નજીક બત્રીસી ભવનમાં અનશન યોજાવાના હતા પણ તોગડિયાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનશનનું સ્થળ ખુલ્લા મેદાનમાં લઇ જવાયું છે ત્યારે ચર્ચા એ છે કે જીએમડીસીના મેદાન કરતાં બત્રીસી ભવનમાં તેમની સુરક્ષા વધુ સારી રીતે થઇ શકી હોત. આ જ જીએમડીસી મેદાનમાં હાર્દિક પટેલની વિરાટ જાહેરસભા યોજાઇ હતી અને પછી કાયદો અને વ્યવસ્થાના પગલે ભારે વિવાદ સર્જાયો હતો.