કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક ટ્રિપલ તલાક બિલને વિરોધપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. સરકારે જે સ્વરૂપે બિલ રજૂ કર્યું હતું તે સ્વરૂપમાં જ તે પસાર થયું હતું તેમાં કોઈ સુધારા કરાયા ન હતા. કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે મુસ્લિમ મહિલા(લગ્નના અધિકારનું સંરક્ષણ) બિલ રજૂ કર્યું હતું. પ્રસાદે કહ્યું કે ટ્રિપલ તલાક કાયદો મહિલાઓના અધિકારોનું રક્ષણ કરે છે અને તેનાં હિતમાં છે. તેમણે ગુરૂવારને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ટ્રિપલ તલાકને સજાપાત્ર અને બિનજામીનપાત્ર ગુનો ગણવાની તેમાં જોગવાઈ કરાઈ છે. સરકાર મુસ્લિમોના શરિયતમાં કોઈ દખલ દેવા નથી માગતી તેમ પ્રસાદે કહ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા ઐતિહાસિક ટ્રિપલ તલાક બિલને વિરોધપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. સરકારે જે સ્વરૂપે બિલ રજૂ કર્યું હતું તે સ્વરૂપમાં જ તે પસાર થયું હતું તેમાં કોઈ સુધારા કરાયા ન હતા. કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે મુસ્લિમ મહિલા(લગ્નના અધિકારનું સંરક્ષણ) બિલ રજૂ કર્યું હતું. પ્રસાદે કહ્યું કે ટ્રિપલ તલાક કાયદો મહિલાઓના અધિકારોનું રક્ષણ કરે છે અને તેનાં હિતમાં છે. તેમણે ગુરૂવારને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. ટ્રિપલ તલાકને સજાપાત્ર અને બિનજામીનપાત્ર ગુનો ગણવાની તેમાં જોગવાઈ કરાઈ છે. સરકાર મુસ્લિમોના શરિયતમાં કોઈ દખલ દેવા નથી માગતી તેમ પ્રસાદે કહ્યું હતું.