ગોંડલ અને ઘોઘાવદરમાં શહેરના ભગવતપરા ખાતે સરકારી દવાખાના સામે આવેલ ચોકમાં કોળી સમાજ દ્વારા માંધાતાની પ્રતિમા મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિમાના સ્ટેન્ડ પર તાજેતરમાં કોળી સમાજના જ રણજીત ગિરધરભાઈ મકવાણા અને દિલીપ ગોરધનભાઈ બાવળિયા દ્વારા અપશબ્દો લખેલા પોસ્ટર્સ લગાવતા બબાલ મચી ગઈ હતી. માંધાતા ગ્રૂપના સભ્યોએ આ યુવકોને પકડી અર્ધનગ્ન કરી જાહેરમાં સરભરા કરી હતી.