સૌરાષ્ટ્રમાં ગઈકાલે આંશિક વિરામ બાદ આજે ફરી મેઘસવારી ફરી વળી હતી. ઉના અને ગીરગઢડામાં તો જાણે આભ ફાટયુ હોય તેમ ૧૫થી ૧૭ ઈંચ વરસાદ વરસી જતાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ હતી. મચ્છુન્દ્રી અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં. ઉના પંથકના ૩૦ ગામો વિખૂટા પડી ગયા હતાં. શહેરનાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા હતાં. અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાં ગઈકાલે આંશિક વિરામ બાદ આજે ફરી મેઘસવારી ફરી વળી હતી. ઉના અને ગીરગઢડામાં તો જાણે આભ ફાટયુ હોય તેમ ૧૫થી ૧૭ ઈંચ વરસાદ વરસી જતાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ હતી. મચ્છુન્દ્રી અને સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં. ઉના પંથકના ૩૦ ગામો વિખૂટા પડી ગયા હતાં. શહેરનાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ફૂટ પાણી ભરાયા હતાં. અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.