કેન્દ્રની મોદી સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી. આ સ્થિતિ વચ્ચે ઉર્જિત પટેલે આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપી દીધુ છે અને અંગત કારણસર આ પગલુ ભર્યંુ હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે આ અંગત કારણ શું છે તેની તેઓએ સ્પષ્ટતા નથી કરી પણ એવી ચર્ચા છે કે સરકાર સાથે નોટબંધી, જીએસટી, એનપીએ જેવા અનેક મુદ્દાઓને લઇને તકરાર ચાલી રહી હતી અને સરકારના દબાણને વશ થઇને પણ આ રાજીનામુ આપ્યું હોઇ શકે છે. ગત મહિને નાણા પ્રધાન અરુણ જેટલીએ વધી રહેલી એનપીએનું ઠીકરુ આરબીઆઇ પર ફોડયું હતું. જે બાદ જ ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચે તકરાર બહાર આવી હતી. જોકે જ્યારથી નોટબંધી લાગુ કરી ત્યારથી જ આ તકરાર શરૃ થઇ ગઇ હતી.
કેન્દ્રની મોદી સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી. આ સ્થિતિ વચ્ચે ઉર્જિત પટેલે આરબીઆઇના ગવર્નર પદેથી રાજીનામુ આપી દીધુ છે અને અંગત કારણસર આ પગલુ ભર્યંુ હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે આ અંગત કારણ શું છે તેની તેઓએ સ્પષ્ટતા નથી કરી પણ એવી ચર્ચા છે કે સરકાર સાથે નોટબંધી, જીએસટી, એનપીએ જેવા અનેક મુદ્દાઓને લઇને તકરાર ચાલી રહી હતી અને સરકારના દબાણને વશ થઇને પણ આ રાજીનામુ આપ્યું હોઇ શકે છે. ગત મહિને નાણા પ્રધાન અરુણ જેટલીએ વધી રહેલી એનપીએનું ઠીકરુ આરબીઆઇ પર ફોડયું હતું. જે બાદ જ ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચે તકરાર બહાર આવી હતી. જોકે જ્યારથી નોટબંધી લાગુ કરી ત્યારથી જ આ તકરાર શરૃ થઇ ગઇ હતી.