-
હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ-વીએચપીના હિન્દુ હૃદય સમ્રાટ ડો. પ્રવીણ તોગડિયાને એવો ડર છે કે કોઇ તેમનું એન્કાઉન્ટર કરવા માંગે છે. તેમણે આ અંગે સેન્ટ્રલ આઇબી સામે ઇશારો કર્યો છે. તેમણે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સીધે સીધુ નામ લેવાનું ટાળ્યું અને સેન્ટ્રલ આઇબીના નામે આમ તો ઇશારો કેન્દ્ર સરકાર સામે જ કર્યો હતો. ગઇકાલે ગુમ થયેલા તોગડિયા મોડી રાતે એક ખાનગી હોસ્પિટલમાં અર્ધ બેહોશીની હાલતમાં મળી આવ્યાં હતા. આજે સવારે મિડીયા સાથેની વાતચીતમાં તેઓ રડી પડ્યા હતા. અને અત્યંત ભાવુક બનીને દાવો કર્યો કે તેઓ રામ મંદિર બનાવો, ગૌ હત્યા રોકો, ખેડૂતોને વાજબી ભાવ આપો, કાશ્મીરી પંડિતોનું પુન:વસન કરોની માંગ કરી રહ્યાં છે. પરંતુ કેટલાક પરિબળો તેમનો અવાજ દબાવવા માંગે છે. નોંધનીય છે કે છેલલાં કેટલાક સમય થી મોદી અને તોગડિયાના સંબંધોમાં કડવાશ આવી ગઇ છે. તેના કારણે તોગડિયાએ કોથળામાં પાંચ શેરી મારીને સેન્ટ્રલ આઇબીના નામે મોદી સરકાર પર આક્ષેપો કર્યા છે.
-
હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ-વીએચપીના હિન્દુ હૃદય સમ્રાટ ડો. પ્રવીણ તોગડિયાને એવો ડર છે કે કોઇ તેમનું એન્કાઉન્ટર કરવા માંગે છે. તેમણે આ અંગે સેન્ટ્રલ આઇબી સામે ઇશારો કર્યો છે. તેમણે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સીધે સીધુ નામ લેવાનું ટાળ્યું અને સેન્ટ્રલ આઇબીના નામે આમ તો ઇશારો કેન્દ્ર સરકાર સામે જ કર્યો હતો. ગઇકાલે ગુમ થયેલા તોગડિયા મોડી રાતે એક ખાનગી હોસ્પિટલમાં અર્ધ બેહોશીની હાલતમાં મળી આવ્યાં હતા. આજે સવારે મિડીયા સાથેની વાતચીતમાં તેઓ રડી પડ્યા હતા. અને અત્યંત ભાવુક બનીને દાવો કર્યો કે તેઓ રામ મંદિર બનાવો, ગૌ હત્યા રોકો, ખેડૂતોને વાજબી ભાવ આપો, કાશ્મીરી પંડિતોનું પુન:વસન કરોની માંગ કરી રહ્યાં છે. પરંતુ કેટલાક પરિબળો તેમનો અવાજ દબાવવા માંગે છે. નોંધનીય છે કે છેલલાં કેટલાક સમય થી મોદી અને તોગડિયાના સંબંધોમાં કડવાશ આવી ગઇ છે. તેના કારણે તોગડિયાએ કોથળામાં પાંચ શેરી મારીને સેન્ટ્રલ આઇબીના નામે મોદી સરકાર પર આક્ષેપો કર્યા છે.