-
અમદાવાદમાં યોગેશ મિશ્રા નામના નાગરિક દ્વારા શહેરની જાણીતી વી.એસ. હોસ્પિટલના સત્તાવાળાઓને આરટીઆઇ દ્વારા માહિતી માંગવામાં આવી કે હોસ્પિટલને મળતા દેહદાનના શરીરો મલ્ટીનેશનલ કંપનીઓને આપવામાં આવે છે કે કેમ તેના જવાબમાં સત્તાવાળાઓએ સ્વીકાર્યું કે તેમને મળેલા દેહદાનના શરીર પૈકી કેટલાક ઝીમર, બી બ્રાઉ,સિન્થેસીસ અને સ્ટ્રાયકર જેવી મલ્ટીનેશનલ કંપનીઓને વર્કશોપ માટે આપવામાં આવ્યાં હતા. દરમ્યાન આ અંગે એવો આરોપ છે કે હોસ્પિટલના એક સિનિયર ડોક્ટર આ શરીરો મલ્ટીનેશનલ કંપનીઓને વેચી દે છે અને તેઓ વારંવાર આ અંગે વિદેશમાં પણ જાય છે. આરટીઆઇમાં આ ડોક્ટર અંગેની માહિતી આપવામાં આવી નહોતી. જે એ બાબતની શંકા પ્રેરે છે કે દેહદાનના શરીરોને વેચવાનું કોઇ કૌભાંડ તો ચાલી રહ્યું નથી ને...?
-
અમદાવાદમાં યોગેશ મિશ્રા નામના નાગરિક દ્વારા શહેરની જાણીતી વી.એસ. હોસ્પિટલના સત્તાવાળાઓને આરટીઆઇ દ્વારા માહિતી માંગવામાં આવી કે હોસ્પિટલને મળતા દેહદાનના શરીરો મલ્ટીનેશનલ કંપનીઓને આપવામાં આવે છે કે કેમ તેના જવાબમાં સત્તાવાળાઓએ સ્વીકાર્યું કે તેમને મળેલા દેહદાનના શરીર પૈકી કેટલાક ઝીમર, બી બ્રાઉ,સિન્થેસીસ અને સ્ટ્રાયકર જેવી મલ્ટીનેશનલ કંપનીઓને વર્કશોપ માટે આપવામાં આવ્યાં હતા. દરમ્યાન આ અંગે એવો આરોપ છે કે હોસ્પિટલના એક સિનિયર ડોક્ટર આ શરીરો મલ્ટીનેશનલ કંપનીઓને વેચી દે છે અને તેઓ વારંવાર આ અંગે વિદેશમાં પણ જાય છે. આરટીઆઇમાં આ ડોક્ટર અંગેની માહિતી આપવામાં આવી નહોતી. જે એ બાબતની શંકા પ્રેરે છે કે દેહદાનના શરીરોને વેચવાનું કોઇ કૌભાંડ તો ચાલી રહ્યું નથી ને...?