સુપ્રીમ કોર્ટમાં મોદી સરકારે બાહેંધરી આપી છે કે તેઓ સેતુસમુદ્રમ શિપ કેમાલ પ્રોજેક્ટ માટે રામસેતુ સાથે કોઈ તોડફોડ નહીં કરે. સુપ્રીમકોર્ટમાં કેન્દ્ર સરકારે એક સોગંધનામું આપી આ બાહેંધરી આપી છે કે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને રામસેતુ સાથે કોઈ છેડછાડ નહીં કરે. નોંધનીય છે કે 2013માં યુપીએ સરકારે રામસેતુ પર કેનાલ બનાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી.