ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું નિધન આજે 23મી મેના રોજ અમદાવાદ ખાતે થયુ છે. 80 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આજે સાંજે તેમનું દેહદાન કરાશે.
વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે કરવેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમણે ગુજરાતના અગ્રણી દૈનિકો, સામાયિકોમાં કોલમ લખી હતી. વિનોદ ભટ્ટ 1976 - કુમાર ચંદ્રક, 1989 - રણજિતરામ સુવર્ણચંદ્રક, 2016 - રમણભાઇ નીલકંઠ પુરસ્કાર, જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક એવોર્ડથી વગેરેથી સન્માનિત કરાયા હતા.
ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું નિધન આજે 23મી મેના રોજ અમદાવાદ ખાતે થયુ છે. 80 વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આજે સાંજે તેમનું દેહદાન કરાશે.
વિનોદ ભટ્ટનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે કરવેરા સલાહકાર હતા. ૧૯૯૬ થી ૧૯૯૭ દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમણે ગુજરાતના અગ્રણી દૈનિકો, સામાયિકોમાં કોલમ લખી હતી. વિનોદ ભટ્ટ 1976 - કુમાર ચંદ્રક, 1989 - રણજિતરામ સુવર્ણચંદ્રક, 2016 - રમણભાઇ નીલકંઠ પુરસ્કાર, જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક એવોર્ડથી વગેરેથી સન્માનિત કરાયા હતા.