-
25મી ડિસે.ના રોજ ભાજપની નવી સરકારની શપથવિધિ થવાની છે ત્યારે 99માંથી 11 નામો તો એવા છે કે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ નક્કી જ છે. આ 11 નામોમાં વિજય રૂપાણી, નીતિન પટેલ,જીતુભાઇ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઇ બોખીરિયા, પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ, ગણપત વસાવા, કૌશિક પટેલ અને આર.સી. ફળદુ તથા મહિલામાંથી નીમા આચાર્યનો સમાવેશ થાય છે. જો મંત્રીમંડળમાં સમાવેશ ના થાય તો નીમા આચાર્ય અથવા ગણપત વસાવાને વિધાનસભાના અધ્યક્ષ બનાવાય તેમ છે. જો રૂપાણીને મુખ્યમંત્રી ના બનાવાય તો તેઓ નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રીપદ કરતાં નીચુ પદ સ્વીકારશે કે કેમ તેની પણ ભાજપમાં ચર્ચા છે. પરિણામે આગામી મુખ્યમંત્રીપદ માટે તેમની શક્યતા પ્રબળ છે. જો વજુભાઇ વાળા અથવા અમિત શાહને મુખ્યમંત્રી બનાવાય તો 99માંથી કોઇ એક બેઠક ખાલી કરીને તેમને જીતાડવાની પ્રક્રિયા કરવી પડે.
-
25મી ડિસે.ના રોજ ભાજપની નવી સરકારની શપથવિધિ થવાની છે ત્યારે 99માંથી 11 નામો તો એવા છે કે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ નક્કી જ છે. આ 11 નામોમાં વિજય રૂપાણી, નીતિન પટેલ,જીતુભાઇ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઇ બોખીરિયા, પ્રદિપસિંહ જાડેજા, સૌરભ પટેલ, ગણપત વસાવા, કૌશિક પટેલ અને આર.સી. ફળદુ તથા મહિલામાંથી નીમા આચાર્યનો સમાવેશ થાય છે. જો મંત્રીમંડળમાં સમાવેશ ના થાય તો નીમા આચાર્ય અથવા ગણપત વસાવાને વિધાનસભાના અધ્યક્ષ બનાવાય તેમ છે. જો રૂપાણીને મુખ્યમંત્રી ના બનાવાય તો તેઓ નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રીપદ કરતાં નીચુ પદ સ્વીકારશે કે કેમ તેની પણ ભાજપમાં ચર્ચા છે. પરિણામે આગામી મુખ્યમંત્રીપદ માટે તેમની શક્યતા પ્રબળ છે. જો વજુભાઇ વાળા અથવા અમિત શાહને મુખ્યમંત્રી બનાવાય તો 99માંથી કોઇ એક બેઠક ખાલી કરીને તેમને જીતાડવાની પ્રક્રિયા કરવી પડે.