Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સુપ્રિમ કોર્ટના 4 સિનિયરમોસ્ટ જજોએ મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા સામે કરેલા બળવા પાછળ શોબરાબુદ્દીન કેસ સાથે સંકળાયેલા ખાસ જજ લોયાના રહસ્યમય મોતનો મામલો હોવાનું બહાર આવી રહ્યું છે. મુંબઇની સીબીઆઇ માટેની ખાસ કોર્ટમાં 2015માં શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ચલાવનાર જજ રહસ્યમય રીતે બે વર્ષ પહેલા નાગપુર ખાતે નિધન પામ્યા હતા. જજ લોયાના પરિવારોએ કેટલાક તથ્યોના આધારે તેમના મોતની તપાસ માટે સુપ્રિમમાં જાહેર હિતની અરજી કરી છે. આ 4 જજોનો આરોપ છે કે મામલો ખૂબજ સંગીન હોવા છતાં ચીફ જસ્ટીસે આ કેસ જુનિયર જજની કોર્ટમાં ફાળવતાં તેઓ વિફર્યા હતા. 4 જજોએ કોઇ સિનિયરમોસ્ટ જજની કોર્ટને આ કેસ ફાળવવા ચીફ જસ્ટીસને વારંવાર વિનંતીઓ કરી હતી. છતાં તેઓ માન્યા નહીં. નોંધનીય છે કે ગુજરાતના ચકચારી શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપના એક કદાવર નેતા આરોપી હતા. લોયાના નિધન બાદ કેસમાં અન્ય જજ આવ્યાં અને આ કદાવર નેતા સીબીઆઇની રજૂઆતના પગલે નિર્દોષ જાહેર થયા હતા. આ કારણ ઉપરાંત અન્ય કારણો પણ રહેલા છે.

  • સુપ્રિમ કોર્ટના 4 સિનિયરમોસ્ટ જજોએ મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા સામે કરેલા બળવા પાછળ શોબરાબુદ્દીન કેસ સાથે સંકળાયેલા ખાસ જજ લોયાના રહસ્યમય મોતનો મામલો હોવાનું બહાર આવી રહ્યું છે. મુંબઇની સીબીઆઇ માટેની ખાસ કોર્ટમાં 2015માં શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ ચલાવનાર જજ રહસ્યમય રીતે બે વર્ષ પહેલા નાગપુર ખાતે નિધન પામ્યા હતા. જજ લોયાના પરિવારોએ કેટલાક તથ્યોના આધારે તેમના મોતની તપાસ માટે સુપ્રિમમાં જાહેર હિતની અરજી કરી છે. આ 4 જજોનો આરોપ છે કે મામલો ખૂબજ સંગીન હોવા છતાં ચીફ જસ્ટીસે આ કેસ જુનિયર જજની કોર્ટમાં ફાળવતાં તેઓ વિફર્યા હતા. 4 જજોએ કોઇ સિનિયરમોસ્ટ જજની કોર્ટને આ કેસ ફાળવવા ચીફ જસ્ટીસને વારંવાર વિનંતીઓ કરી હતી. છતાં તેઓ માન્યા નહીં. નોંધનીય છે કે ગુજરાતના ચકચારી શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપના એક કદાવર નેતા આરોપી હતા. લોયાના નિધન બાદ કેસમાં અન્ય જજ આવ્યાં અને આ કદાવર નેતા સીબીઆઇની રજૂઆતના પગલે નિર્દોષ જાહેર થયા હતા. આ કારણ ઉપરાંત અન્ય કારણો પણ રહેલા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ