કોરોના મહામારીને રોકવા માટે લાગૂ લૉકડાઉનને પગલે હાલમાં કોઈ પણ સંજોગોમાં સરકાર સ્કૂલ, કોલેજ કે મોલ ખોલવાની સ્થિતિમાં નથી. છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં તમામ શિક્ષણ સંસ્થાનો દેશમાં બંધ છે. કેટલાક રાજ્યોએ શરતોને આધિન સ્કૂલો ખોલવાની તૈયારી દર્શાવી છે. આ દરમિયાન એવા સમાચારો વાયરલ થયા છે કે, જુલાઈ મહિનામાં સ્કૂલ અને કૉલેજો ફરીથી ખોલવાનું સરકાર વિચારી રહી છે. જેમાં ગ્રીન ઝોનમાં 30 ટકા બાળકો સાથે 8માંથી 12મા ધોરણ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવામાં આવી શકે છે. આ મામલે ગૃહ મંત્રાલયે લીલીઝંડી આપી હોવાના વાયરલ સમાચારોનું મંત્રાલયે હવે ખંડન કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સ્કૂલ અને કોલેજો ખોલવા પર હાલમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી અને દેશભરમાં બધા શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર પણ રોક લગાવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આ નિવેદન બાદ એ અટકળો પર વિરામ લાગી ગયો છે કે ટૂંક સમયમાં દેશભરની સ્કૂલ-કોલેજો શરૂ કરવામાં આવશે.
કોરોના મહામારીને રોકવા માટે લાગૂ લૉકડાઉનને પગલે હાલમાં કોઈ પણ સંજોગોમાં સરકાર સ્કૂલ, કોલેજ કે મોલ ખોલવાની સ્થિતિમાં નથી. છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં તમામ શિક્ષણ સંસ્થાનો દેશમાં બંધ છે. કેટલાક રાજ્યોએ શરતોને આધિન સ્કૂલો ખોલવાની તૈયારી દર્શાવી છે. આ દરમિયાન એવા સમાચારો વાયરલ થયા છે કે, જુલાઈ મહિનામાં સ્કૂલ અને કૉલેજો ફરીથી ખોલવાનું સરકાર વિચારી રહી છે. જેમાં ગ્રીન ઝોનમાં 30 ટકા બાળકો સાથે 8માંથી 12મા ધોરણ સુધીની શૈક્ષણિક સંસ્થાઓ ફરીથી ખોલવામાં આવી શકે છે. આ મામલે ગૃહ મંત્રાલયે લીલીઝંડી આપી હોવાના વાયરલ સમાચારોનું મંત્રાલયે હવે ખંડન કર્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સ્કૂલ અને કોલેજો ખોલવા પર હાલમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી અને દેશભરમાં બધા શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા પર પણ રોક લગાવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આ નિવેદન બાદ એ અટકળો પર વિરામ લાગી ગયો છે કે ટૂંક સમયમાં દેશભરની સ્કૂલ-કોલેજો શરૂ કરવામાં આવશે.