Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જો કાર માલિકે કારમાં સીએનજી કિટ બદલાવી હોય અને તેની જાણ ભલે વીમા કંપનીને નહીં કરી હોય પરંતુ તે અંગેની નોંધ આરટીઓ તથા આરસી બુકમાં કરાવી હોય તો તેવા કિસ્સામાં અકસ્માત થાય તો પણ વીમા કંપની વળતર આપવા બંધાયેલી છે. કન્ઝ્યુમર કોર્ટે આ અંગે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કલોલના નિવાસી વિષ્ણુભાઈ પટેલે કારમાં સીએનજી કિટ બદલાવી હતી પણ તેની જાણ વીમાકંપનીને નહોતી કરી. જોકે તેમણે આ અંગેની નોંધ આરસી બુક અને આરટીઓમાં કરાવી હતી. તેમની કારને અકસ્માત થતાં તેમણે વીમાકંપનીમાં 17000નો ક્લેમ મુક્યો હતો. અમને સીએનજી કિટ બદલાવવાની જાણ નહોતી કરી માટે ક્લેમ નામંજૂર કરાય છે તેમ વીમા કંપનીએ કહી દાવો નકાર્યો હતો. આ અંગે તેમણે ગ્રાહક સુરક્ષા સંસ્થાનો સંપર્ક કરતાં વીમા કંપનીને દાવો આપવા ચૂકાદો અપાયો હતો.

જો કાર માલિકે કારમાં સીએનજી કિટ બદલાવી હોય અને તેની જાણ ભલે વીમા કંપનીને નહીં કરી હોય પરંતુ તે અંગેની નોંધ આરટીઓ તથા આરસી બુકમાં કરાવી હોય તો તેવા કિસ્સામાં અકસ્માત થાય તો પણ વીમા કંપની વળતર આપવા બંધાયેલી છે. કન્ઝ્યુમર કોર્ટે આ અંગે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કલોલના નિવાસી વિષ્ણુભાઈ પટેલે કારમાં સીએનજી કિટ બદલાવી હતી પણ તેની જાણ વીમાકંપનીને નહોતી કરી. જોકે તેમણે આ અંગેની નોંધ આરસી બુક અને આરટીઓમાં કરાવી હતી. તેમની કારને અકસ્માત થતાં તેમણે વીમાકંપનીમાં 17000નો ક્લેમ મુક્યો હતો. અમને સીએનજી કિટ બદલાવવાની જાણ નહોતી કરી માટે ક્લેમ નામંજૂર કરાય છે તેમ વીમા કંપનીએ કહી દાવો નકાર્યો હતો. આ અંગે તેમણે ગ્રાહક સુરક્ષા સંસ્થાનો સંપર્ક કરતાં વીમા કંપનીને દાવો આપવા ચૂકાદો અપાયો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ