કેજરીવાલની સરકારમાં જળપ્રધાનનો હોદ્દો છીનવાયા બાદ બીજા દિવસે AAPના કપિલ મિશ્રાએ કેજરીવાલ પર મંત્રી સત્યેન્દ્ર જૈન પાસેથી 2 કરોડ રુપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો. મિશ્રાએ કહ્યું કે મેં નજરોનજર કેજરીવાલને પૈલા લેતા જોયા હતા. જો કે, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન સિસોદિયા અને કુમાર વિશ્વાસે આરોપ ફગાવ્યા. તેમણે કહ્યું કે કેજરીવાલના દુશ્મન પણ એ વાત નહીં માને કે કેજરીવાલ ભ્રષ્ટ છે.