- રાજધાની દિલ્હીના રાજપથ પર આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ભારતની વિરાટ સૈન્ય શક્તિ, ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહર અને અનેકતામાં એકતાની ગૌરવશાળી પરંપરાના અનોખા દર્શન થયા હતાં. ૭૦મા પ્રજાસત્તાક દિનની પરેડમાં સૌ પ્રથમવાર આઝાદ હિન્દ ફૌજના પુર્વ સૈનિકોએ ભાગ લીધો હતો. ૭૦મા પ્રજાસત્તાક પરેડમાં મુખ્ય અતિથિ તરીકે દ.આફ્રીકાના રાષ્ટ્રપતિ સીરિલ રામાફોસા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજપથ પર ઉપસ્થિત હતા. વડાપ્રધાને તે અગાઉ અમર જવાન જ્યોતિ ખાતે જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. રાષ્ટ્પતિ કોવિંદ દ્વારા તિરંગો ફરકાવ્યાં બાદ તેને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્પતિ કોવિંદે જમ્મુ-કાશ્મીર માં આતંકીઓનો સામનો કરતા શહીદ થયેલા સેનાના જવાન લાંસ નાયક નજીર અહમદ વાની ના પત્ની મહ્જબીને શાંતિ કાળ ના સર્વોચ્ચ સન્માન અશોક ચક્ર એનાયત કરીને સન્માનિત કર્યા હતા.
- રાજધાની દિલ્હીના રાજપથ પર આજે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ભારતની વિરાટ સૈન્ય શક્તિ, ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહર અને અનેકતામાં એકતાની ગૌરવશાળી પરંપરાના અનોખા દર્શન થયા હતાં. ૭૦મા પ્રજાસત્તાક દિનની પરેડમાં સૌ પ્રથમવાર આઝાદ હિન્દ ફૌજના પુર્વ સૈનિકોએ ભાગ લીધો હતો. ૭૦મા પ્રજાસત્તાક પરેડમાં મુખ્ય અતિથિ તરીકે દ.આફ્રીકાના રાષ્ટ્રપતિ સીરિલ રામાફોસા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતના રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાજપથ પર ઉપસ્થિત હતા. વડાપ્રધાને તે અગાઉ અમર જવાન જ્યોતિ ખાતે જઈને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. રાષ્ટ્પતિ કોવિંદ દ્વારા તિરંગો ફરકાવ્યાં બાદ તેને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્પતિ કોવિંદે જમ્મુ-કાશ્મીર માં આતંકીઓનો સામનો કરતા શહીદ થયેલા સેનાના જવાન લાંસ નાયક નજીર અહમદ વાની ના પત્ની મહ્જબીને શાંતિ કાળ ના સર્વોચ્ચ સન્માન અશોક ચક્ર એનાયત કરીને સન્માનિત કર્યા હતા.