ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ સાંસદ, અને ગુજરાત રાજ્યના પાણી પુરવઠા બોર્ડના પૂર્વ ચેરમેન બળવંતભાઈ મણવરનું 82 વર્ષની વયે અવસાન થયું છે. ડુમિયાણી ખાતે આવેલી આશ્રમ શાળાના સ્થાપક અને શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉભી કરનાર મોભીનું અવસાન થતાં સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.