રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના કે. ખંધાર, આઈએએસની બદલી કરીને તેમની નિમણૂક અગ્ર સચિવ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તરીકે કરવામાં આવી છે. આ જગ્યાએ અગાઉ રમેશચંદ મીણા, આઈએએસ ફરજ બજાવતા હતા, જેમની બદલી કરવામાં આવી છે.