-
માર્ચ માસમાં પોતાની સરકારના બે વર્ષ પૂરા કરવા જઇ રહેલી યુપીની યોગી સરકારના 3 મંત્રીઓના અંગત વિશ્વાસુ સચિવો બદલીઓ અને ટેન્ડરો પાસ કરાવવવામાં લેતી-દેતી કરતાં હોવાનું એક ખાનગી ટીવી ચેનલના સ્ટીંગ ઓપરેશનમાં ઝડપાઇ જતાં અને સરકારની તપાસમાં પણ તેને સમર્થન મળતાં આખરે એ 3 અંગત સચિવોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંત્રીમંડળના 3 મંત્રીઓમાં પછાત વર્ગ કલ્યાણ મંત્રી ઓમપ્રકાશ રાજભરના અંગત સચિવ ઓમપ્રકાશ કશ્યપ, ખાણમંત્રી અર્ચના પાંડેયના અંગત સચિવ એસ.પી. ત્રિપાઠી અને બુનિયાદી શિક્ષણ મંત્રી સંદિપ સિંહના અંગત સચિવ સંતોષ અવસ્થીની સામે ગુનો નોંધીને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. સૂત્રોએ કહ્યું કે અંગત સચિવોની લેતી-દેતી માટેની આટલી હિંમત પાછળ કોનું પીઠબળ હતું તેની તપાસ પણ થવી જોઇએ. ક્યાંક એવું તો નથીને કે તેમને બલિના બકરા બનાવીને કોઇ બીજાને છાવરવામાં આવ્યાં હોય...?
-
માર્ચ માસમાં પોતાની સરકારના બે વર્ષ પૂરા કરવા જઇ રહેલી યુપીની યોગી સરકારના 3 મંત્રીઓના અંગત વિશ્વાસુ સચિવો બદલીઓ અને ટેન્ડરો પાસ કરાવવવામાં લેતી-દેતી કરતાં હોવાનું એક ખાનગી ટીવી ચેનલના સ્ટીંગ ઓપરેશનમાં ઝડપાઇ જતાં અને સરકારની તપાસમાં પણ તેને સમર્થન મળતાં આખરે એ 3 અંગત સચિવોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મંત્રીમંડળના 3 મંત્રીઓમાં પછાત વર્ગ કલ્યાણ મંત્રી ઓમપ્રકાશ રાજભરના અંગત સચિવ ઓમપ્રકાશ કશ્યપ, ખાણમંત્રી અર્ચના પાંડેયના અંગત સચિવ એસ.પી. ત્રિપાઠી અને બુનિયાદી શિક્ષણ મંત્રી સંદિપ સિંહના અંગત સચિવ સંતોષ અવસ્થીની સામે ગુનો નોંધીને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. સૂત્રોએ કહ્યું કે અંગત સચિવોની લેતી-દેતી માટેની આટલી હિંમત પાછળ કોનું પીઠબળ હતું તેની તપાસ પણ થવી જોઇએ. ક્યાંક એવું તો નથીને કે તેમને બલિના બકરા બનાવીને કોઇ બીજાને છાવરવામાં આવ્યાં હોય...?