26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મુખ્યમંત્રીપદ છોડી દેશના વડાપ્રધાનના શપથ ગ્રહણ કર્યા. સત્તા સંભાળવાની સાથે જ તેમની સામે કેટલાક એવા પડકારો હતા જેને નજરઅંદાજ કરવા શક્ય નહોતા. પાકિસ્તાન દ્વારા કરાતી કાયરતાપૂર્ણ હરકતો હોય કે તેના દ્વારા જ આતંકવાદ થકી દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ હોય, મોદી સામે આવા અનેક પડકારો રાહ જોઈને ઊભા હતા. કાશ્મીરનો સળગતો પ્રશ્નને લઈ મોદી સરકાર કયો અભિગમ અપનાવે છે તેની પર સમગ્ર વિશ્વની નજર હતી. અસહિષ્ણુતા, સાંપ્રદાયિક્તાને મોદી સરકાર પ્રોત્સાહન આપી રહી છે તેવા પણ આરોપ થયા. વડાપ્રધાન મોદી હોય કે બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંને આ સવાલો જ્યારે પણ પૂછાયા તેને ટાળવાનો પ્રયાસ કરતા રહ્યા છે.
26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતનું મુખ્યમંત્રીપદ છોડી દેશના વડાપ્રધાનના શપથ ગ્રહણ કર્યા. સત્તા સંભાળવાની સાથે જ તેમની સામે કેટલાક એવા પડકારો હતા જેને નજરઅંદાજ કરવા શક્ય નહોતા. પાકિસ્તાન દ્વારા કરાતી કાયરતાપૂર્ણ હરકતો હોય કે તેના દ્વારા જ આતંકવાદ થકી દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ હોય, મોદી સામે આવા અનેક પડકારો રાહ જોઈને ઊભા હતા. કાશ્મીરનો સળગતો પ્રશ્નને લઈ મોદી સરકાર કયો અભિગમ અપનાવે છે તેની પર સમગ્ર વિશ્વની નજર હતી. અસહિષ્ણુતા, સાંપ્રદાયિક્તાને મોદી સરકાર પ્રોત્સાહન આપી રહી છે તેવા પણ આરોપ થયા. વડાપ્રધાન મોદી હોય કે બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંને આ સવાલો જ્યારે પણ પૂછાયા તેને ટાળવાનો પ્રયાસ કરતા રહ્યા છે.