પાકિસ્તાન માટે શુક્રવારનો દિવસ ગોઝારો પુરવાર થયો હતો. બે સ્થળે થયેલા આતંકી હુમલામાં કુલ ૩૯નાં મોત થયાં હતાં. પહેલો હુમલો કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં થયો હતો જ્યાં શક્તિશાળી હથિયારો સાથે ત્રાટકેલા આતંકીઓએ ચીનનાં દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આતંકીઓ અહીં કારમાં બેસીને આવ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. તેમનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો. આ ઘટનામાં ૨ સુરક્ષાકર્મી, ૨ નાગરિકોનાં મોત થયાં હતાં અને ૩ આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા. આતંકી હુમલાની બીજી ઘટનામાં પખ્તુનવા પ્રાંતનાં રાકઝાઇ ખાતે હંગુ શહેરનાં માર્કેટમાં બોંબવિસ્ફોટ થયો હતો, જેમાં ૩૨નાં મોત થયાં હતાં અને ૪૦ને ઈજા પહોંચી હતી.
પાકિસ્તાન માટે શુક્રવારનો દિવસ ગોઝારો પુરવાર થયો હતો. બે સ્થળે થયેલા આતંકી હુમલામાં કુલ ૩૯નાં મોત થયાં હતાં. પહેલો હુમલો કરાચીના ક્લિફ્ટન વિસ્તારમાં થયો હતો જ્યાં શક્તિશાળી હથિયારો સાથે ત્રાટકેલા આતંકીઓએ ચીનનાં દૂતાવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આતંકીઓ અહીં કારમાં બેસીને આવ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું હતું. તેમનો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો. આ ઘટનામાં ૨ સુરક્ષાકર્મી, ૨ નાગરિકોનાં મોત થયાં હતાં અને ૩ આતંકીને ઠાર કરવામાં આવ્યા હતા. આતંકી હુમલાની બીજી ઘટનામાં પખ્તુનવા પ્રાંતનાં રાકઝાઇ ખાતે હંગુ શહેરનાં માર્કેટમાં બોંબવિસ્ફોટ થયો હતો, જેમાં ૩૨નાં મોત થયાં હતાં અને ૪૦ને ઈજા પહોંચી હતી.