એક દસકા સુધી ગીર જંગલમાં સતત આધીપત્ય ધરાવનાર જય અને વીરુની જોડી અંતે તૂટતા સમગ્ર ગીર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. યુવાન સિંહો સાથે વિસ્તારના કબજાને લઈને ઇન ફાઇટ દરમિયાન જય અને વીરુની લડાઈ થઈ હતી. જેમાં આ બંને સિંહ મિત્રો ઘાયલ થયા હતા, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા વીરુએ બે દિવસની સારવાર બાદ અંતે જીવ ત્યાગી દેતા સમગ્ર ગીર પંથકની સાથે વન વિભાગમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.