Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરામાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં એક જ વિસ્તારમાં રહેતા 45 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે ઉલ્લેખનીય છે કે, એક સાથે આટલી મોટી સંખ્યામાં અને એ પણ એક જ વિસ્તારના દર્દીઓ કે જેમને કોરોનાને હરાવ્યો હોય એવો ગુજરાતનો પ્રથમ કિસ્સો છે. આ તમામ દર્દીઓને કાઉન્સિલિંગ બાદ આજે રજા આપવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરામાં કોરોનાનું હોટસ્પોટ બનેલા નાગરવાડાના 45 દર્દીઓને આજવા રોડ ખાતે આવેલી ઈબ્રાહિમ બાવની ITI ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામ દર્દીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આ તમામ દર્દીઓએ પ્લાઝમા ડોનર બનવા માટેની તૈયારી દર્શાવી છે.

ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરામાંથી એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં એક જ વિસ્તારમાં રહેતા 45 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે ઉલ્લેખનીય છે કે, એક સાથે આટલી મોટી સંખ્યામાં અને એ પણ એક જ વિસ્તારના દર્દીઓ કે જેમને કોરોનાને હરાવ્યો હોય એવો ગુજરાતનો પ્રથમ કિસ્સો છે. આ તમામ દર્દીઓને કાઉન્સિલિંગ બાદ આજે રજા આપવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરામાં કોરોનાનું હોટસ્પોટ બનેલા નાગરવાડાના 45 દર્દીઓને આજવા રોડ ખાતે આવેલી ઈબ્રાહિમ બાવની ITI ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી આ તમામ દર્દીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. હવે આ તમામ દર્દીઓએ પ્લાઝમા ડોનર બનવા માટેની તૈયારી દર્શાવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ