અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની કીરથાર ગિરિમાળાઓના પશ્ચિમના ઢાળે ગઇકાલે રાત્રે આશરે પોણા બાર (૧૧.૪૭) વાગે ૬.૩ની તીવ્રતાનો ધરતીકંપ થતાં ૮૦૦થી વધુના મોત થયા હતા જ્યારે ૧૩૦૦ થી વધુને ઇજાઓ થઇ હતી, તેમ પ્રાથમિક અંદાજો જણાવે છે.
આ ધરતીકંપને પરિણામે ગામોના ગામો ધરાશાયી થયા હતા. પાકા મકાનો પણ ધ્વસ્ત થયા હતા. આ ધરતીકંપની જાણ થતા રાહત ટુકડીઓ ધસી ગઈ હતી. પરંતુ ધરતીકંપ પછી પણ ચાલુ રહેલા આફટર શોક્સને લીધે તેમનું કાર્ય પણ મુશ્કેલ બન્યું હતું.