ભારતમાં વિશ્વના સૌથી આકરા લોકડાઉનમાં છૂટછાટો બાદ કોરોના સંક્રમણના કેસોમાં કૂદકે અને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૯,૩૦૪ નવા પોઝિટિવ કેસ સામે આવતાં દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૨,૧૬,૯૧૯ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૬૦ દર્દીનાં મોત થતાં મોતનો કુલ આંકડો ૬ હજારને પાર કરી ૬,૦૭૫ ઉપર પહોંચી ગયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણના કુલ એક્ટિવ કેસ ૧,૦૬,૭૩૭ છે જ્યારે ૧,૦૪,૧૦૬ દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૮૦૪ દર્દી સાજા થતાં દેશમાં કોરોના રિકવરી રેટ ૪૭.૯૯ નોંધાયો હતો.
ભારતમાં વિશ્વના સૌથી આકરા લોકડાઉનમાં છૂટછાટો બાદ કોરોના સંક્રમણના કેસોમાં કૂદકે અને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ગુરુવારે સવારે ૮ કલાકે પૂરા થયેલા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૯,૩૦૪ નવા પોઝિટિવ કેસ સામે આવતાં દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૨,૧૬,૯૧૯ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ૨૬૦ દર્દીનાં મોત થતાં મોતનો કુલ આંકડો ૬ હજારને પાર કરી ૬,૦૭૫ ઉપર પહોંચી ગયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણના કુલ એક્ટિવ કેસ ૧,૦૬,૭૩૭ છે જ્યારે ૧,૦૪,૧૦૬ દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૮૦૪ દર્દી સાજા થતાં દેશમાં કોરોના રિકવરી રેટ ૪૭.૯૯ નોંધાયો હતો.