વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સિલેક્ટ કમિટી દ્વારા સીબીઆઈના વડા આલોક વર્માને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા લાંચકાંડના વિવાદમાં કેન્દ્ર સરકારે બંને અધિકારીઓને રજા ઉપર ઉતારી દીધા હતા. સુપ્રીમના આદેશ બાદ બુધવારે જ આલોક વર્માએ ૭૭ દિવસ બાદ પોતાનું પદ સંભાળ્યું હતું. સીબીઆઈવિવાદમાં આ વળાંક આવ્યો હતો ત્યાં જ ગુરુવારે સિલેક્ટ કમિટિની બેઠકે તેમને પદ ઉપરથી દૂર કરીને આ વિવાદમાં નવો જ વળાંક આપી દીધો છે. આલોક વર્મા ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે, તેમને હવે ફાયર સર્વિસિઝ એન્ડ હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સિલેક્ટ કમિટી દ્વારા સીબીઆઈના વડા આલોક વર્માને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા લાંચકાંડના વિવાદમાં કેન્દ્ર સરકારે બંને અધિકારીઓને રજા ઉપર ઉતારી દીધા હતા. સુપ્રીમના આદેશ બાદ બુધવારે જ આલોક વર્માએ ૭૭ દિવસ બાદ પોતાનું પદ સંભાળ્યું હતું. સીબીઆઈવિવાદમાં આ વળાંક આવ્યો હતો ત્યાં જ ગુરુવારે સિલેક્ટ કમિટિની બેઠકે તેમને પદ ઉપરથી દૂર કરીને આ વિવાદમાં નવો જ વળાંક આપી દીધો છે. આલોક વર્મા ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે, તેમને હવે ફાયર સર્વિસિઝ એન્ડ હોમગાર્ડના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે.