કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર સાંસદ ફંડમાં કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સૂચનાથી ગ્રામ્ય વિકાસના કામ માટે શારદા મજૂર કામદાર સહકારી મંડળીને અપાયેલા કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ઘટનામાં કલેકટર અને ઓડિટર જનરલના અહેવાલમાં પણ કામ નહી થયાનો ઘટસ્ફોટ થયો હતો. જે મામલે આજે હાઇકોર્ટે સહકારી મંડળી પાસેથી 4 કરોડની રિકવરી કરવામાં આવી છે કે કેમ? તેનો અહેવાલ રજુ કરવા આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે, ગુરુવારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને રણદીપ સુરજેવાલાએ CAG રિપોર્ટનો અહેવાલ આપતા સ્મૃતિ ઈરાની પર પોતાના સાંસદ ભંડોળનો દુરુ ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્મૃતિ ઈરાનીને મંત્રીમંડળમાંથી દૂર કરવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ પણ કોંગ્રેસ નેતાઓએ કરી છે.
જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાનીએ સાંસદ બન્યા બાદ એક ગામ દત્તક લીધુ હતુ. જોકે તેમણે ગામ દત્તક તો લીધુ પરંતુ ગામને મળનાર પૈસા પણ પોતાના ખિસ્સામાં મૂક્યા. આણંદ જિલ્લાના કલેક્ટરે સાંસદ ભંડોળ રજૂ કરનાર ડેપ્યુટી સચિવને એક પત્ર લખ્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે સ્મૃતિ ઈરાનીએ પોતાના સાંસદ ભંડોળમાં કૌભાંડ કર્યું છે.
કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર સાંસદ ફંડમાં કૌભાંડ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની સૂચનાથી ગ્રામ્ય વિકાસના કામ માટે શારદા મજૂર કામદાર સહકારી મંડળીને અપાયેલા કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ઘટનામાં કલેકટર અને ઓડિટર જનરલના અહેવાલમાં પણ કામ નહી થયાનો ઘટસ્ફોટ થયો હતો. જે મામલે આજે હાઇકોર્ટે સહકારી મંડળી પાસેથી 4 કરોડની રિકવરી કરવામાં આવી છે કે કેમ? તેનો અહેવાલ રજુ કરવા આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે, ગુરુવારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અને રણદીપ સુરજેવાલાએ CAG રિપોર્ટનો અહેવાલ આપતા સ્મૃતિ ઈરાની પર પોતાના સાંસદ ભંડોળનો દુરુ ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સ્મૃતિ ઈરાનીને મંત્રીમંડળમાંથી દૂર કરવા અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ પણ કોંગ્રેસ નેતાઓએ કરી છે.
જણાવી દઈએ કે, સ્મૃતિ ઈરાનીએ સાંસદ બન્યા બાદ એક ગામ દત્તક લીધુ હતુ. જોકે તેમણે ગામ દત્તક તો લીધુ પરંતુ ગામને મળનાર પૈસા પણ પોતાના ખિસ્સામાં મૂક્યા. આણંદ જિલ્લાના કલેક્ટરે સાંસદ ભંડોળ રજૂ કરનાર ડેપ્યુટી સચિવને એક પત્ર લખ્યો હતો. જેમાં ખુલાસો થયો હતો કે સ્મૃતિ ઈરાનીએ પોતાના સાંસદ ભંડોળમાં કૌભાંડ કર્યું છે.