કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ધાંધલી થઇ હોવાના આરોપો લગાવ્યા છે. સાથે જ ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો હતો. જોકે હવે ચૂંટણી પંચના સુત્રોએ કહ્યું છે કે રાહુલ પંચને પત્ર લખશે તો જ જવાબ આપવામાં આવશે.
ચૂંટણી પંચના સુત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ જે આરોપો લગાવ્યા તેના ૨૪ કલાક બાદ પણ ચૂંટણી પંચને કોઇ પત્ર નથી લખ્યો કે મુલાકાત માટે સમય નથી માગ્યો. કોઇ પણ બંધારણીય સંસ્થા, ચૂંટણી પંચ પણ જ્યારે કોઇ લેખિત રજુઆત કરે ત્યારે જ જવાબ આપવામાં આવે છે. માટે રાહુલ ગાંધી હવે પોતાના આરોપોને લઇને લેખિતમાં રજુઆત કરશે ત્યારે જ તેમને જવાબ આપવામાં આવશે.