Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, જ્યારે તેમણે એલ.કે. અડવાણીને જણાવ્યું કે તેઓ ભાજપ છોડીને જઇ રહ્યા છે ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. શત્રુઘ્ન સિન્હાને કોંગ્રેસમાં જોડાયા પછી બિહારનાં પટના સાહિબ લોકસભા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

શત્રુ સિન્હા છેલ્લા બે દાયકાથી ભાજપ સાથે જોડાયેલા હતા. એક્ટરમાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું કે, મેં રાજકીય જીવનમાં નવી દિશા પકડી અને યોગ્ય દિશા પકડી ત્યારે મેં અડવાણીજીનાં આશિર્વાદ લીધા. અડવાણીજીની આંખોમાં આંસુ હતા. પણ તેમણે ક્યારેય એવું ન કહ્યું કે, તમે ભાજપ છોડીને ન જશો. અડવાણીજીએ એટલું જ કહ્યું, કે ઓકે, લવ યુ,’’.

શત્રુઘ્ન સિન્હાની દિકરી અને બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પણ આરોપ લગાવ્યો કે, તેના પિતા અને અડવાણીજીને પાર્ટી દ્વારા સન્માન આપવામાં આવતુ નહોતુ.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, જ્યારે તેમણે એલ.કે. અડવાણીને જણાવ્યું કે તેઓ ભાજપ છોડીને જઇ રહ્યા છે ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. શત્રુઘ્ન સિન્હાને કોંગ્રેસમાં જોડાયા પછી બિહારનાં પટના સાહિબ લોકસભા બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

શત્રુ સિન્હા છેલ્લા બે દાયકાથી ભાજપ સાથે જોડાયેલા હતા. એક્ટરમાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું કે, મેં રાજકીય જીવનમાં નવી દિશા પકડી અને યોગ્ય દિશા પકડી ત્યારે મેં અડવાણીજીનાં આશિર્વાદ લીધા. અડવાણીજીની આંખોમાં આંસુ હતા. પણ તેમણે ક્યારેય એવું ન કહ્યું કે, તમે ભાજપ છોડીને ન જશો. અડવાણીજીએ એટલું જ કહ્યું, કે ઓકે, લવ યુ,’’.

શત્રુઘ્ન સિન્હાની દિકરી અને બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ પણ આરોપ લગાવ્યો કે, તેના પિતા અને અડવાણીજીને પાર્ટી દ્વારા સન્માન આપવામાં આવતુ નહોતુ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ