-
વડાપ્રધાન કાંઇ ખોટુ કરે તો તેની તપાસ અને તેમની સામે કામ ચલાવવાની સત્તા ધરાવનાર એવા પ્રથમ લોકપાલ માટે આખરે પાંચ વર્ષ પછી વર્તમાન સરકાર તરપથી એક નામ પસંદ કરવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ પી.સી. ઘોષની પ્રથમ લોકપાલ તરીકે પસંદ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. 2011માં સમાજ સેવક અન્ના હજારેને આગળ કરીને એક સંગઠન દ્વારા લોકપાલની નિમણૂંક માટે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. 2013માં તેનો કાયદો બન્યો હતો. 2014માં વર્તમાન સરકારે લોકપાલની નિમણૂંકમાં 5 વર્ષનો સમય લીધો અને હવે ચૂંટણીઓ જાહેર થઇ ત્યારે નામ પસંદ કર્યું છે. લોકપાલની નિમણૂંકથી હવે અન્ના હજારેને આનંદ થયો હશે.
-
વડાપ્રધાન કાંઇ ખોટુ કરે તો તેની તપાસ અને તેમની સામે કામ ચલાવવાની સત્તા ધરાવનાર એવા પ્રથમ લોકપાલ માટે આખરે પાંચ વર્ષ પછી વર્તમાન સરકાર તરપથી એક નામ પસંદ કરવામાં આવ્યું છે. સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટીસ પી.સી. ઘોષની પ્રથમ લોકપાલ તરીકે પસંદ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. 2011માં સમાજ સેવક અન્ના હજારેને આગળ કરીને એક સંગઠન દ્વારા લોકપાલની નિમણૂંક માટે આંદોલન ચલાવવામાં આવ્યું હતું. 2013માં તેનો કાયદો બન્યો હતો. 2014માં વર્તમાન સરકારે લોકપાલની નિમણૂંકમાં 5 વર્ષનો સમય લીધો અને હવે ચૂંટણીઓ જાહેર થઇ ત્યારે નામ પસંદ કર્યું છે. લોકપાલની નિમણૂંકથી હવે અન્ના હજારેને આનંદ થયો હશે.