Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહીસાગર જિલ્લાના લુણાવાડાના જંગલમાંથી મંગળવારે મૃત હાલતમાં મળેલા વાઘના મૃતદેહનું ગઈકાલે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વન વિભાગ અને એનટીસીએના સભ્ય સહિત છ સભ્યોની ટીમ દ્વારા કરાયેલી સાડા છ કલાકની કાર્યવાહી બાદ રાષ્ટ્રીય સન્માન સાથે વાઘના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ત્રણેક દિવસ પહેલા મૃત્યુ પામેલા વાઘનો મૃતદેહ ડિ-કંપોઝ થઈ ગયો હતો. NTCAની સલાહ મુજબ મુખ્ય વન સંરક્ષક, NTCAના પ્રતિનિધિ, ગીર ફાઉન્ડેશનના પશુચિકિત્સક, NGOના પ્રતિનિધી, જિલ્લા પશુપાલન નિયામક તથા ત્રણ પશુ ચિકિત્સકો અને મહિસાગરના નાયબ વન સંરક્ષકની ટીમની હાજરીમાં ગઈકાલે સવારે 11:15 કલાકે વાઘનું પોસ્ટમોર્ટમ કરી ૩૦ સેમ્પલ લીધાં હતાં. જેને ગાંધીનગર FSL, આણંદ અને હૈદરાબાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લગભગ અઢી કલાક વાઘના પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી હતી. ત્યારબાદ જંગલમાં જ વન વિભાગના અધિકારીઓ સહિતની ટીમની હાજરીમાં રાષ્ટ્રીય સન્માન સાથે વાઘના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મહીસાગર જિલ્લાના લુણાવાડાના જંગલમાંથી મંગળવારે મૃત હાલતમાં મળેલા વાઘના મૃતદેહનું ગઈકાલે પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વન વિભાગ અને એનટીસીએના સભ્ય સહિત છ સભ્યોની ટીમ દ્વારા કરાયેલી સાડા છ કલાકની કાર્યવાહી બાદ રાષ્ટ્રીય સન્માન સાથે વાઘના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ત્રણેક દિવસ પહેલા મૃત્યુ પામેલા વાઘનો મૃતદેહ ડિ-કંપોઝ થઈ ગયો હતો. NTCAની સલાહ મુજબ મુખ્ય વન સંરક્ષક, NTCAના પ્રતિનિધિ, ગીર ફાઉન્ડેશનના પશુચિકિત્સક, NGOના પ્રતિનિધી, જિલ્લા પશુપાલન નિયામક તથા ત્રણ પશુ ચિકિત્સકો અને મહિસાગરના નાયબ વન સંરક્ષકની ટીમની હાજરીમાં ગઈકાલે સવારે 11:15 કલાકે વાઘનું પોસ્ટમોર્ટમ કરી ૩૦ સેમ્પલ લીધાં હતાં. જેને ગાંધીનગર FSL, આણંદ અને હૈદરાબાદની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લગભગ અઢી કલાક વાઘના પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી હતી. ત્યારબાદ જંગલમાં જ વન વિભાગના અધિકારીઓ સહિતની ટીમની હાજરીમાં રાષ્ટ્રીય સન્માન સાથે વાઘના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ