સુપ્રીમ કોર્ટે કરેલા આદેશને પગલે કેન્દ્ર સરકારે રાફેલ સોદા સંબંધી દસ્તાવેજ અરજદારોને સોંપી દીધા છે, તે સાથે જ રાફેલ સોદા અંગે લેવાયેલા નિર્ણયોની પ્રક્રિયા જાહેર થઈ ચૂકી છે. ૧૬ પાનાના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે સરકારે વર્ષ ૨૦૧૩માં નક્કી થયેલી સંરક્ષણ ખરીદીપ્રક્રિયા મુજબ રાફેલ સોદો કર્યો છે. કેન્દ્ર સરકારે એક બંધ કવરમાં રાફેલ લડાયક જેટ વિમાનની કિંમતની વિગતો પણ સુપ્રીમને સોંપી છે. રાફેલની કિંમત જાહેર કરવાને મુદ્દે કોર્ટમાં અગાઉ ૩૧ ઓક્ટોબરે સામસામી દલીલો થઈ હતી. સુપ્રીમે વળતા જવાબમાં કહી દીધું હતું કે રાફેલ જેટની કિંમત કેન્દ્ર શા માટે જાહેર ના કરી શકે તે બાબત સોગંદનામું આપીને સમજાવે. આ કેસમાં હવે પછીની સુનવણી ૧૪ નવેમ્બરે યોજાશે.
સુપ્રીમ કોર્ટે કરેલા આદેશને પગલે કેન્દ્ર સરકારે રાફેલ સોદા સંબંધી દસ્તાવેજ અરજદારોને સોંપી દીધા છે, તે સાથે જ રાફેલ સોદા અંગે લેવાયેલા નિર્ણયોની પ્રક્રિયા જાહેર થઈ ચૂકી છે. ૧૬ પાનાના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે સરકારે વર્ષ ૨૦૧૩માં નક્કી થયેલી સંરક્ષણ ખરીદીપ્રક્રિયા મુજબ રાફેલ સોદો કર્યો છે. કેન્દ્ર સરકારે એક બંધ કવરમાં રાફેલ લડાયક જેટ વિમાનની કિંમતની વિગતો પણ સુપ્રીમને સોંપી છે. રાફેલની કિંમત જાહેર કરવાને મુદ્દે કોર્ટમાં અગાઉ ૩૧ ઓક્ટોબરે સામસામી દલીલો થઈ હતી. સુપ્રીમે વળતા જવાબમાં કહી દીધું હતું કે રાફેલ જેટની કિંમત કેન્દ્ર શા માટે જાહેર ના કરી શકે તે બાબત સોગંદનામું આપીને સમજાવે. આ કેસમાં હવે પછીની સુનવણી ૧૪ નવેમ્બરે યોજાશે.