Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

 12 જૂન, 2025ના રોજ બપોરે 1:40 વાગ્યે, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની, જ્યારે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ નં. 171 ટેક-ઓફ દરમિયાન ક્રેશ થઈ. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર્સમાંથી 241 લોકોના મોત થયા, જ્યારે જમીન પર 30-35 લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા. આમ, કુલ 275 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં એક મુસાફરનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. વિમાન મેઘાણીનગરમાં આવેલી મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું હતું, જેના કારણે કેટલાક ડોક્ટરો અને અન્ય લોકો પણ આ સ્થિતિનો ભોગ બન્યા.
મૃતકોની ઓળખ અને વળતરની જાહેરાત
23 જૂન, 2025 સુધીમાં 253 મૃતકોના DNA સેમ્પલની ઓળખ પૂર્ણ થઈ હતી, જેમાં 240 મુસાફરો અને 13 નોન-પેસેન્જર (જમીન પરના લોકો) સામેલ હતા. કુલ 19 નોન-પેસેન્જરના પાર્થિવ શરીર તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા, જેમાંથી 13ની ઓળખ DNA રિપોર્ટ દ્વારા અને 6ની ઓળખ ચહેરા દ્વારા કરવામાં આવી હતી.
ટાટા ગ્રૂપ અને એર ઈન્ડિયા દ્વારા મૃતકોના પરિવારજનોને વળતર તરીકે આપવામાં આવનારી રકમની જાહેરાત કરવામાં આવી: ટાટા ગ્રૂપ તરફથી 1 કરોડ રૂપિયા અને એર ઈન્ડિયા તરફથી 25 લાખ રૂપિયા. આ ઉપરાંત, ઇજાગ્રસ્તોના પરિવારોને પણ આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.
પરિવારજનોને અધિકારી સાથે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે છે.
જરૂરી દસ્તાવેજોમાં ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, DNA રિપોર્ટ (જો લાગુ હોય), અને ઇજાગ્રસ્તોના કિસ્સામાં હોસ્પિટલના દાખલ થયાના દસ્તાવેજો રજૂ કરવાના રહે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ