Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસના કહેર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર પગલાઓ લેવામાં આવતા કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થયો છે. ત્યારે છેલ્લા 10-15 દિવસથી શહેરના યુવાવર્ગ દ્વારા માસ્ક નહીં પહેરવું, માસ્ક ખોટી રીતે પહેરવું, ટોળે ટોળા વળવું, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જેવા કોવિડ પ્રોટોકોલના ભંગ કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. 
આવી પ્રવતિઓ શહેરના અમુક ભાગમાં ખાસ કરીને રાત્રીના સમયે વધારે થતી જોવા મળી રહી છે. જેને લઈને આજે કોરોના માટેના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાતે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે આ વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે.
 

કોરોના વાયરસના કહેર સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તબક્કાવાર પગલાઓ લેવામાં આવતા કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો થયો છે. ત્યારે છેલ્લા 10-15 દિવસથી શહેરના યુવાવર્ગ દ્વારા માસ્ક નહીં પહેરવું, માસ્ક ખોટી રીતે પહેરવું, ટોળે ટોળા વળવું, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જેવા કોવિડ પ્રોટોકોલના ભંગ કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. 
આવી પ્રવતિઓ શહેરના અમુક ભાગમાં ખાસ કરીને રાત્રીના સમયે વધારે થતી જોવા મળી રહી છે. જેને લઈને આજે કોરોના માટેના ખાસ અધિકારી ડો. રાજીવ ગુપ્તએ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી શહેરના એસ.જી. હાઇવે, વસ્ત્રાપુર, બોપલ અને સોલાના 27 જેટલા વિસ્તારમાં રાતે 10 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જ્યારે આ વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ