ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મે 2025માં યોજાનારી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) પરીક્ષા હવે નિર્ધારિત તારીખે યોજાશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ અને ઓપરેશન સિંદૂર પછી ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ICAIએ CA પરીક્ષા મુલતવી રાખી છે.