-
બેંગલુરૂ ખાતે ઓયોજીત એરો ઇન્ડિયા શો-એર શોના સ્થળે પાર્કિંગમાં એકાએક આગ લાગતાં ઓછામાં ઓછા 300 વાહનોને નુકશાનપહોંચ્યું હતું. ફાયર બ્રિગેડનું માનવુ છે કે ખુલ્લા મેદાનમાં ઘાસમાં કે સૂકા પાંદડામાં કોઇ કારણોસર આગ લાગી હશે જે પવનને કારણે ધીમે ધીમે નજીકની કારોમાં ફેલાઇ હશે. ગેટ ન. 5 નજીકના પાર્કિંગમાં આ આગ લાગી છે. મોટી સંખ્યામાં વાહનોમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. આ અગાઉ એર શો શરૂ થાય તેના એક દિવસ પહેલા સૂર્ય કિરણ ટીમના બે વિમાનો ટકરાતા એક પાયલટનું નિધન થયું હતું. બન્ને વિમાનો આગમાં નાશ પામ્યા હતા. એ બનાવ બાદ આજે ફરી આગ લાગી અને 300 વાહનો સળગી જતાં એવી અટકળો શરૂ થઇ કે આ એર શો અપશુકનિયાળ તો નથી ને..? જો કે આગની બન્ને ઘટનાઓને સત્તાવાળાઓ આક્સ્મિક ગણાવી છે.
-
બેંગલુરૂ ખાતે ઓયોજીત એરો ઇન્ડિયા શો-એર શોના સ્થળે પાર્કિંગમાં એકાએક આગ લાગતાં ઓછામાં ઓછા 300 વાહનોને નુકશાનપહોંચ્યું હતું. ફાયર બ્રિગેડનું માનવુ છે કે ખુલ્લા મેદાનમાં ઘાસમાં કે સૂકા પાંદડામાં કોઇ કારણોસર આગ લાગી હશે જે પવનને કારણે ધીમે ધીમે નજીકની કારોમાં ફેલાઇ હશે. ગેટ ન. 5 નજીકના પાર્કિંગમાં આ આગ લાગી છે. મોટી સંખ્યામાં વાહનોમાં આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. આ અગાઉ એર શો શરૂ થાય તેના એક દિવસ પહેલા સૂર્ય કિરણ ટીમના બે વિમાનો ટકરાતા એક પાયલટનું નિધન થયું હતું. બન્ને વિમાનો આગમાં નાશ પામ્યા હતા. એ બનાવ બાદ આજે ફરી આગ લાગી અને 300 વાહનો સળગી જતાં એવી અટકળો શરૂ થઇ કે આ એર શો અપશુકનિયાળ તો નથી ને..? જો કે આગની બન્ને ઘટનાઓને સત્તાવાળાઓ આક્સ્મિક ગણાવી છે.