Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ભારતીય વાયુસેનાનું જગુઆર પ્રકારનું એક લડાકૂ વિમાન આજે યુપીના ગોરખપુરથી આકાશી સુરક્ષા માટે ઉડ્યું હતું. જો કે કુશીનગર સુધી એટલે કે થોડેક દૂર પહોંચ્યા બાદ તે કુશીનગરના ખેતરોમાં ધડામ કરીને પડ્યું અને પડતાની સાથે જ તેમાં આગ લાગી હતી. જો કે વિમાનમાં ગરબડ હોવાની જાણ થતાં વિમાન જમીન પર પછડાય તે પહેલા પાયલટે પોતાને વિમાનમાંથી ઇજેક્ટ કરી નાંખ્યું હતું. જેમાં તેઓ ખુરશી સાથે વિમાનમાંથી આકાશની તરફ નિકળીને ત્યારબાદ પેરાશૂટની મદદથી સલામત નીચે આવી ગયા હતા. લડાકૂ વિમાન ખેતરમાં ક્રેશ થતાં સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહોતી. વાયુ સેનાએ તપાસના આદેશો આપ્યા છે. નોંધનીય છે કે ગુજરાતના કચ્છ ખાતે પણ આવું જ એક જગુઆર વિમાન ક્રેશ થયું હતું. જેમાં પાયલટ બચી શક્યો નહોતો.

  • ભારતીય વાયુસેનાનું જગુઆર પ્રકારનું એક લડાકૂ વિમાન આજે યુપીના ગોરખપુરથી આકાશી સુરક્ષા માટે ઉડ્યું હતું. જો કે કુશીનગર સુધી એટલે કે થોડેક દૂર પહોંચ્યા બાદ તે કુશીનગરના ખેતરોમાં ધડામ કરીને પડ્યું અને પડતાની સાથે જ તેમાં આગ લાગી હતી. જો કે વિમાનમાં ગરબડ હોવાની જાણ થતાં વિમાન જમીન પર પછડાય તે પહેલા પાયલટે પોતાને વિમાનમાંથી ઇજેક્ટ કરી નાંખ્યું હતું. જેમાં તેઓ ખુરશી સાથે વિમાનમાંથી આકાશની તરફ નિકળીને ત્યારબાદ પેરાશૂટની મદદથી સલામત નીચે આવી ગયા હતા. લડાકૂ વિમાન ખેતરમાં ક્રેશ થતાં સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ નહોતી. વાયુ સેનાએ તપાસના આદેશો આપ્યા છે. નોંધનીય છે કે ગુજરાતના કચ્છ ખાતે પણ આવું જ એક જગુઆર વિમાન ક્રેશ થયું હતું. જેમાં પાયલટ બચી શક્યો નહોતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ