બેન્કોના 9 હજાર કરોડ રુપિયાના કૌભાંડ કરીને ભાગી જનારા લિકર કિંગ વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણને લઇને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા આપી હતી. કોર્ટ સમક્ષ કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, માલ્યાને બ્રિટનથી ભારત લાવવાના તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર ચાલી રહેલી કાયદાકીય કાર્યવાહી એમાં વિલંબનું કારણ બની રહી છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા ચાલી રહેલી સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સોલિસીટર જનરલ એ વિજય માલ્યાના પ્રત્યાર્પણની સ્થિતિ વિશે રિપોર્ટ દાખલ કરવા માટે સમયની અપીલ કરી હતી.