નોટબંધીને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે દેશભરમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. દેશના બે મોટા પક્ષો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપ એક તરફ નોટબંધીના એક વર્ષની ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યો છે ત્યાં કોંગ્રેસ નોટબંધીની વરસી રાખવાની છે. આ વિવાદ વચ્ચે આરબીઆઈએ એવું નિવેદન આપ્યું કે જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આરબીઆઈએ જણાવ્યું કે, નોટબંધી દરમિયાન બેન્કોમાં પરત આવેલી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો હજી સુધી કરન્સી વેરિફિકેશન સિસ્ટમ દ્વારા ચકાસાઈ રહી છે.
નોટબંધીને એક વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે દેશભરમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. દેશના બે મોટા પક્ષો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપ એક તરફ નોટબંધીના એક વર્ષની ઉજવણી કરવાની તૈયારીઓ કરી રહ્યો છે ત્યાં કોંગ્રેસ નોટબંધીની વરસી રાખવાની છે. આ વિવાદ વચ્ચે આરબીઆઈએ એવું નિવેદન આપ્યું કે જેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. આરબીઆઈએ જણાવ્યું કે, નોટબંધી દરમિયાન બેન્કોમાં પરત આવેલી ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો હજી સુધી કરન્સી વેરિફિકેશન સિસ્ટમ દ્વારા ચકાસાઈ રહી છે.