દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખાનગી માહિતી મળતાં સેનાએ રવિવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. સર્ચ ઓપરેસન શરૂ થતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઠાર કરવામાં આવેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસિર ખાન પણ સામેલ છે. જ્યારે અન્ય બે આતંકીઓની ઓળખ હજી થઇ શકી નથી.
જણાવી દઈએ કે, પુલવામા હુમલામાં મુદ્દસિરનો ખૂબ મોટો હાથ હતો. વ્યવસાયે ઈલેક્ટ્રીશિયન મુદ્દસિરે 2017માં જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન જોઈન કર્યું હતું. તે આદિલ અહમદ ડારના સંપર્કમાં હતો અને તેણે પુલવામા હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ખાનગી માહિતી મળતાં સેનાએ રવિવારે મોડી સાંજે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. સર્ચ ઓપરેસન શરૂ થતાં આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઠાર કરવામાં આવેલા આતંકીઓમાં જૈશ-એ-મોહમ્મદનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસિર ખાન પણ સામેલ છે. જ્યારે અન્ય બે આતંકીઓની ઓળખ હજી થઇ શકી નથી.
જણાવી દઈએ કે, પુલવામા હુમલામાં મુદ્દસિરનો ખૂબ મોટો હાથ હતો. વ્યવસાયે ઈલેક્ટ્રીશિયન મુદ્દસિરે 2017માં જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન જોઈન કર્યું હતું. તે આદિલ અહમદ ડારના સંપર્કમાં હતો અને તેણે પુલવામા હુમલાનું કાવતરું ઘડ્યું હતું.