આણંદ લોકસભા બેઠક પર ભાજપના દિલીપ પટેલની ટીકીટ કાપીને મિતેશ પટેલને ટીકીટ આપી છે. ભાજપે નવા ઉમેદવારનું નામ જાહેર કરતા જ તેની નો રીપીટ થીયરીને અનુલક્ષી વર્ષ ૨૦૧૪માં આણંદ બેઠક ઉપર ભગવો લહેરાવનાર ઉમેદવાર દિલીપભાઈ પટેલને ટિકિટ ન આપતા તેઓના ટેકેદારોમાં અંદરખાને નારાજગી જોવા મળી હતી. ભાજપ દ્વારા અગાઉ એકપણ વાર કોઈપણ પ્રકારની ચૂંટણી ન લડેલ ઉમેદવારનું નામ જાહેર થતા જિલ્લા ભાજપમાં આંતરીક ડખા હોવાની ચર્ચાઓ પણ સંભળાઈ બહાર આવી છે.
ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે ૭.૭૦ કરોડની મિલકત જાહેર કરી છે અને લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે અને ઉદ્યોગપતિ છે. ભાજપના ઉમેદવાર તરીકે મિતેશ પટેલની કોઈ રાજકિય કારકિર્દી નથી. મિતેશ પટેલ (બકાભાઈ) તેઓ ૧૯૮૬માં બેંગ્લોરની બોર્ડ ઓફ ટેકનીકલ એક્ઝામિનેશનમાંથી સેકન્ડ ક્લાસ સાથે ડિપ્લોમા ઇન ટેલીકોમ્યુનીકેશ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવેલ છે. તેઓની વિરુદ્ધ વાસદ પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૨માં ફ.ગુ.રજી.નં.૪૯/૨૦૦૨ થતા ફ.ગુરજી. નં.૫૮/૨૦૦૨ મુજબ બે ક્રિમીનલ કેસ નોંધાયેલા છે. જેમાં ગેરકાયદેસરમાં મંડળીના સભ્ય બની મિલ્કતોને સળગાવીને પથ્થર મારો કરી સામાન્ય ઈજા પહોંચડવાનો આપેક્ષ છે. જે પૈકી ફ.ગુ રજી નં.૪૯/૨૦૦૨નો કેસ હાલ ગુજરાત હાઇકોર્ટમાં એક્વીટલ સામેની ક્રિમીનલ અપીલ નં.૬૬/૧૧ કાર્યવાહી અંતર્ગત પેન્ડીગ છે. આમ આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેવાર ગોધરાકાંડમાં ખરડાયેલી પૃષ્ઠ ભૂમિકા ધરાવે છે.
આણંદ લોકસભા બેઠક પર ભાજપના દિલીપ પટેલની ટીકીટ કાપીને મિતેશ પટેલને ટીકીટ આપી છે. ભાજપે નવા ઉમેદવારનું નામ જાહેર કરતા જ તેની નો રીપીટ થીયરીને અનુલક્ષી વર્ષ ૨૦૧૪માં આણંદ બેઠક ઉપર ભગવો લહેરાવનાર ઉમેદવાર દિલીપભાઈ પટેલને ટિકિટ ન આપતા તેઓના ટેકેદારોમાં અંદરખાને નારાજગી જોવા મળી હતી. ભાજપ દ્વારા અગાઉ એકપણ વાર કોઈપણ પ્રકારની ચૂંટણી ન લડેલ ઉમેદવારનું નામ જાહેર થતા જિલ્લા ભાજપમાં આંતરીક ડખા હોવાની ચર્ચાઓ પણ સંભળાઈ બહાર આવી છે.
ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતી વખતે ૭.૭૦ કરોડની મિલકત જાહેર કરી છે અને લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે અને ઉદ્યોગપતિ છે. ભાજપના ઉમેદવાર તરીકે મિતેશ પટેલની કોઈ રાજકિય કારકિર્દી નથી. મિતેશ પટેલ (બકાભાઈ) તેઓ ૧૯૮૬માં બેંગ્લોરની બોર્ડ ઓફ ટેકનીકલ એક્ઝામિનેશનમાંથી સેકન્ડ ક્લાસ સાથે ડિપ્લોમા ઇન ટેલીકોમ્યુનીકેશ એન્જીનીયરીંગની ડીગ્રી મેળવેલ છે. તેઓની વિરુદ્ધ વાસદ પોલીસ મથકમાં વર્ષ ૨૦૦૨માં ફ.ગુ.રજી.નં.૪૯/૨૦૦૨ થતા ફ.ગુરજી. નં.૫૮/૨૦૦૨ મુજબ બે ક્રિમીનલ કેસ નોંધાયેલા છે. જેમાં ગેરકાયદેસરમાં મંડળીના સભ્ય બની મિલ્કતોને સળગાવીને પથ્થર મારો કરી સામાન્ય ઈજા પહોંચડવાનો આપેક્ષ છે. જે પૈકી ફ.ગુ રજી નં.૪૯/૨૦૦૨નો કેસ હાલ ગુજરાત હાઇકોર્ટમાં એક્વીટલ સામેની ક્રિમીનલ અપીલ નં.૬૬/૧૧ કાર્યવાહી અંતર્ગત પેન્ડીગ છે. આમ આણંદ લોકસભા બેઠક પર ભાજપના ઉમેવાર ગોધરાકાંડમાં ખરડાયેલી પૃષ્ઠ ભૂમિકા ધરાવે છે.