લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ છે, જેને પગલે દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ચૂંટણી પંચ સભાઓ અને રેલીઓ પર તો ધ્યાન આપશે જ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વખતે ચાંપતી નજર રાખવામાં આવશે.
સોશિયલ મીડિયા પર કોઇ પણ રાજકીય નેતાની કે ચૂંટણી લક્ષી જાહેરાત હશે તો આ જાહેરાતની અગાઉ ચૂંટણી પંચ પાસેથી અનુમતી લેવી પડશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર પણ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
નોંધનીય છે કે, જે પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ કે એપ્લિકેશનો છે તેણે રાજકીય પક્ષોની જાહેરાતો આપતા પહેલા ચૂંટણી પંચને તેની જાણ કરવાની રહેશે. સાથે જ ગુગલ અને ફેસબુકને પણ આવા લોકોની જાણકારી મેળવવા માટે કહેવામાં આવ્યું છે.
લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ છે, જેને પગલે દેશભરમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, ચૂંટણી પંચ સભાઓ અને રેલીઓ પર તો ધ્યાન આપશે જ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વખતે ચાંપતી નજર રાખવામાં આવશે.
સોશિયલ મીડિયા પર કોઇ પણ રાજકીય નેતાની કે ચૂંટણી લક્ષી જાહેરાત હશે તો આ જાહેરાતની અગાઉ ચૂંટણી પંચ પાસેથી અનુમતી લેવી પડશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર પણ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
નોંધનીય છે કે, જે પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ કે એપ્લિકેશનો છે તેણે રાજકીય પક્ષોની જાહેરાતો આપતા પહેલા ચૂંટણી પંચને તેની જાણ કરવાની રહેશે. સાથે જ ગુગલ અને ફેસબુકને પણ આવા લોકોની જાણકારી મેળવવા માટે કહેવામાં આવ્યું છે.