સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને ફરજિયાત રજા પર ઉતારી દેવાના વિવાદને રાફેલ સોદા સાથે સાંકળીને કોંગ્રેસે શુક્રવારે દેશભરની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કરી ઉગ્ર દેખાવો કર્યા હતા. દિલ્હીમાં કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં અશોક ગેહલોત, એહમદ પટેલ, મોતીલાલ વોરા, વીરપ્પા મોઇલી અને આનંદ શર્મા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓે અને કાર્યકરોએ દયાસસિંહ કોલેજથી સીબીઆઈનાં મુખ્ય મથક સુધી મોરચો કાઢી દેખાવો કર્યા હતા. કોંગ્રેસ સમર્થિત દેખાવોમાં લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવ, સીપીઆઈના ડી. રાજા, તૃણમૂલ કોંગ્રેસના નદિમુલ હક સહિતના નેતાઓ જોડાયા હતા. પોલીસ રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓને અટકાયતમાં લઈ લોધી રોડ પોલીસસ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ૫૦ મિનિટ અટકાયતમાં વિતાવી હતી. સાંકેતિક ધરપકડ બાદ રાહુલ ગાંધી, અશોક ગેહલોત, પ્રમોદ તિવારી સહિતના નેતાઓને મુક્ત કરી દેવાયા હતા.
સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને ફરજિયાત રજા પર ઉતારી દેવાના વિવાદને રાફેલ સોદા સાથે સાંકળીને કોંગ્રેસે શુક્રવારે દેશભરની સીબીઆઈ કચેરીઓ પર હલ્લાબોલ કરી ઉગ્ર દેખાવો કર્યા હતા. દિલ્હીમાં કોંગ્રેસઅધ્યક્ષ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં અશોક ગેહલોત, એહમદ પટેલ, મોતીલાલ વોરા, વીરપ્પા મોઇલી અને આનંદ શર્મા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓે અને કાર્યકરોએ દયાસસિંહ કોલેજથી સીબીઆઈનાં મુખ્ય મથક સુધી મોરચો કાઢી દેખાવો કર્યા હતા. કોંગ્રેસ સમર્થિત દેખાવોમાં લોકતાંત્રિક જનતાદળના શરદ યાદવ, સીપીઆઈના ડી. રાજા, તૃણમૂલ કોંગ્રેસના નદિમુલ હક સહિતના નેતાઓ જોડાયા હતા. પોલીસ રાહુલ ગાંધી સહિતના તમામ નેતાઓને અટકાયતમાં લઈ લોધી રોડ પોલીસસ્ટેશન લઈ ગઈ હતી, જ્યાં રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ૫૦ મિનિટ અટકાયતમાં વિતાવી હતી. સાંકેતિક ધરપકડ બાદ રાહુલ ગાંધી, અશોક ગેહલોત, પ્રમોદ તિવારી સહિતના નેતાઓને મુક્ત કરી દેવાયા હતા.