દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ભડકેલી હિંસા વચ્ચે મુસ્લિમ આગેવાન અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ ઓવૈસીએ મોટુ નિવેદન આપ્યુ છે. ઓવૈસીએ કહ્યુ છે કે, અમે વિરોધ દરમિયાન થઈ રહેલી હિંસાની નિંદા કરીએ છે અને જો આ કાયદા સામે હિંસા થઈ તો તેના વિરોધમાંથી હું અલગ થઈ જઈશ.