Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરમાં પહેલી વાર આતંકવાદીઓ દ્વારા સ્નાઇપર એટેકથી જવાનોની હત્યાનો સિલસિલો શરૂ થયો છે. છેલ્લા એક સપ્તાહમાં આતંકવાદીઓએ સ્નાઇપર એટેક દ્વારા ૩ જવાનોની હત્યા કરી હોવાની શંકા છે. શનિવારે સવારે શ્રીનગર નજીકના નૌગામ ખાતે સ્નાઇપર એટેકમાં સીઆઈએસએફના એક અધિકારી શહીદ થયા હતા. રાતના ૧ કલાકે એએસઆઈ રાજેન્દ્રપ્રસાદ પાવરગ્રિડ સ્ટેશનની સુરક્ષા કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ દ્વારા કરાયેલા સ્નાઇપર એટેકમાં પ્રસાદના ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. આમ તો પોલીસ આ હુમલાને આતંકવાદીઓનો ગોળીબાર ગણાવી રહી છે પરંતુ ૨૪ ઓક્ટોબરના રોજ કાશ્મીરના આઈજીપી એસ. પી. પાનીએ વરિષ્ઠ અધિકારીઓને જારી કરેલા પરિપત્રમાં આતંકવાદીઓ સ્નાઇપર હુમલા દ્વારા સુરક્ષાદળોના જવાનોને નિશાન બનાવી રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. આઈજીપીએ સુરક્ષા કેમ્પોની દીવાલો ઊંચી કરવાના આદેશ પણ આપ્યા છે. 
 

કાશ્મીરમાં પહેલી વાર આતંકવાદીઓ દ્વારા સ્નાઇપર એટેકથી જવાનોની હત્યાનો સિલસિલો શરૂ થયો છે. છેલ્લા એક સપ્તાહમાં આતંકવાદીઓએ સ્નાઇપર એટેક દ્વારા ૩ જવાનોની હત્યા કરી હોવાની શંકા છે. શનિવારે સવારે શ્રીનગર નજીકના નૌગામ ખાતે સ્નાઇપર એટેકમાં સીઆઈએસએફના એક અધિકારી શહીદ થયા હતા. રાતના ૧ કલાકે એએસઆઈ રાજેન્દ્રપ્રસાદ પાવરગ્રિડ સ્ટેશનની સુરક્ષા કરી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓ દ્વારા કરાયેલા સ્નાઇપર એટેકમાં પ્રસાદના ચહેરા પર ગોળી મારવામાં આવી હતી. આમ તો પોલીસ આ હુમલાને આતંકવાદીઓનો ગોળીબાર ગણાવી રહી છે પરંતુ ૨૪ ઓક્ટોબરના રોજ કાશ્મીરના આઈજીપી એસ. પી. પાનીએ વરિષ્ઠ અધિકારીઓને જારી કરેલા પરિપત્રમાં આતંકવાદીઓ સ્નાઇપર હુમલા દ્વારા સુરક્ષાદળોના જવાનોને નિશાન બનાવી રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. આઈજીપીએ સુરક્ષા કેમ્પોની દીવાલો ઊંચી કરવાના આદેશ પણ આપ્યા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ