ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ વચ્ચે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગુજરાત ATSની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ATSની ટીમે અમદાવાદના બે શખ્સની અટકાયત કરી છે જ્યારે મોરબીના બે શખ્સ સહિત ત્રણની પૂછપરછ શરૂ કરી છે. ATSએ કચ્છ, મોરબી,અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરી 50થી વધુ પીસ્ટલ અને રિવોલ્વર સહિત હથિયારો કબ્જે કર્યા છે. જેમાથી મોટાભાગના હથિયાર વિદેશી છે. આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે યોજાવવા અંગે અસમંજસ વચ્ચે રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોના વેચાણ અને હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે. ગુજરાત ATSની ટીમે ડુપ્લીકેટ લાયસન્સ પર હથિયારો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ATSની ટીમે અમદાવાદના બે શખ્સની અટકાયત કરી છે જ્યારે મોરબીના બે શખ્સ સહિત ત્રણની પૂછપરછ શરૂ કરી છે. ATSએ કચ્છ, મોરબી,અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરી 50થી વધુ પીસ્ટલ અને રિવોલ્વર સહિત હથિયારો કબ્જે કર્યા છે. જેમાથી મોટાભાગના હથિયાર વિદેશી છે. આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.