સુપ્રીમ કોર્ટે સોમવારે અયોધ્યા કેસની સુનાવણી અગ્રતાક્રમે વહેલી કરવાની ઉત્તર પ્રદેશ સરકારની વિનંતીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે આ કેસમાં કઈ બેન્ચ સુનાવણી હાથ ધરશે તે અંગેનો નિર્ણય આગામી વર્ષ જાન્યુઆરીમાં કરવામાં આવશે. અયોધ્યા કેસ પરની માત્ર ત્રણ જ મિનિટની કાર્યવાહી અંતે સુપ્રીમે સુનાવણી જાન્યુઆરીમાં મુકરર કરતો નિર્ણય લઈ લીધો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને કે.એમ.જોસેફની બનેલી બેન્ચે કહ્યું હતું કે આ કેસમાં અર્જન્ટ સુનાવણી હાથ ધરી શકાય તેમ નથી. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને દિવાળીની રજાઓ પછી અયોધ્યા કેસની સુનાવણી શરૂ કરવા વિનંતી કરી હતી. પરંતુ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે સુનાવણી અંગે યોગ્ય બેન્ચ જાન્યુઆરીમાં નિર્ણય લેશે. આ કેસની સુનાવણી કઈ બેન્ચ કરશે તેની પણ અમને જાણકારી નથી.
સુપ્રીમ કોર્ટે સોમવારે અયોધ્યા કેસની સુનાવણી અગ્રતાક્રમે વહેલી કરવાની ઉત્તર પ્રદેશ સરકારની વિનંતીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે આ કેસમાં કઈ બેન્ચ સુનાવણી હાથ ધરશે તે અંગેનો નિર્ણય આગામી વર્ષ જાન્યુઆરીમાં કરવામાં આવશે. અયોધ્યા કેસ પરની માત્ર ત્રણ જ મિનિટની કાર્યવાહી અંતે સુપ્રીમે સુનાવણી જાન્યુઆરીમાં મુકરર કરતો નિર્ણય લઈ લીધો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને કે.એમ.જોસેફની બનેલી બેન્ચે કહ્યું હતું કે આ કેસમાં અર્જન્ટ સુનાવણી હાથ ધરી શકાય તેમ નથી. ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને દિવાળીની રજાઓ પછી અયોધ્યા કેસની સુનાવણી શરૂ કરવા વિનંતી કરી હતી. પરંતુ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ જણાવ્યું હતું કે સુનાવણી અંગે યોગ્ય બેન્ચ જાન્યુઆરીમાં નિર્ણય લેશે. આ કેસની સુનાવણી કઈ બેન્ચ કરશે તેની પણ અમને જાણકારી નથી.