ઓપન કેટેગરીમાં આવતા આર્થિક રીતે નબળા વર્ગને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતો ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો બુધવારે રાત્રે ૧૬૫ વિરુદ્ધ ૭ મતથી રાજ્યસભામાં પસાર કરી દેવાયો હતો. આ સાથે જ આઝાદ ભારતમાં આર્થિક આધારે અનામત ફાળવણીનો માર્ગ મોકળો બની ગયો હતો. બંધારણીય સુધારા ખરડાને લોકસભા અને રાજ્યસભા ઉપરાંત દેશની ઓછામાં ઓછી ૫૦ ટકા વિધાનસભાની મંજૂરી જરૂરી હોય છે પરંતુ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, આ બંધારણીય સુધારા ખરડાને રાજ્યો પાસે મંજૂરી માટે મોકલવાની જરૂર નથી તેથી સીધો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી અપાશે. રાષ્ટ્રપતિ પણ આ બંધારણીય સુધારા ખરડો હોવાથી પુનઃવિચારણા માટે સંસદ પાસે પરત મોકલી શક્તાં નથી.
ઓપન કેટેગરીમાં આવતા આર્થિક રીતે નબળા વર્ગને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતો ૧૨૪મો બંધારણીય સુધારા ખરડો બુધવારે રાત્રે ૧૬૫ વિરુદ્ધ ૭ મતથી રાજ્યસભામાં પસાર કરી દેવાયો હતો. આ સાથે જ આઝાદ ભારતમાં આર્થિક આધારે અનામત ફાળવણીનો માર્ગ મોકળો બની ગયો હતો. બંધારણીય સુધારા ખરડાને લોકસભા અને રાજ્યસભા ઉપરાંત દેશની ઓછામાં ઓછી ૫૦ ટકા વિધાનસભાની મંજૂરી જરૂરી હોય છે પરંતુ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, આ બંધારણીય સુધારા ખરડાને રાજ્યો પાસે મંજૂરી માટે મોકલવાની જરૂર નથી તેથી સીધો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી અપાશે. રાષ્ટ્રપતિ પણ આ બંધારણીય સુધારા ખરડો હોવાથી પુનઃવિચારણા માટે સંસદ પાસે પરત મોકલી શક્તાં નથી.